ગઇકાલના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે વિજેતા થનાર ચારેય ઉમેદવારોને વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે ફુલ હારથી સન્માનિત કરવામાં આવ્યા હતા…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી ચૂંટાયેલ ઈસ્માઈલભાઈ કડીવાર, યુનુસભાઈ ખોરજીયા, ગુલમહમદભાઈ બ્લોચ અને જલાલભાઈ શેરસીયાને ગઈકાલના રોજ વાંકાનેરના ભાજપ કાર્યાલય, ગરાસીયા બોર્ડિંગ ખાતે નામદાર મહારાણા રાજ સાહેબ કેસરિદેવસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ, શહેર મહામંત્રી કે. ડી. ઝાલા, તાલુકા ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો દ્વારા સાલ ઓઢાડી અને ફુલ હાર કરી સન્માન કરવામાં આવ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!