વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે તળાવના કાંઠે ઢોર ચરાવવા મામલે થયેલ માથાકૂટના બનાવમાં યુવાન દ્વારા પાંચ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોય, જે બનાવમાં સામાપક્ષે ચાર શખ્સો સામે વળતી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા ફરિયાદી ચોથાભાઈ બેચરભાઈ શાપરાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપીઓ ૧). કરમણ ખીમા ભરવાડ, ૨). દાના ખીમા ભરવાડ, ૩). રામા સીંધા ભરવાડ અને ૪).વેલા ગોકળ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ચોથાભાઈ તથા તેમના મોટા બાપુના દિકરા પોપટભાઈ કરમશીભાઈ શાપરાએ સતાપરા ગામના નાગજીભાઇ કલાભાઈ ધરજીયાના ગુદાખડા ગામના સીમાડે આવેલા ખેતરને ઉધડથી ચારવા માટે રાખેલ છે. જ્યાં આરોપીઓ તેના માલ ઢોર ચરવવા આવતા હતા, જે બાબતે આરોપીઓ સાથે ચોથાભાઈને અગાઉ બોલા ચાલી થઇ હતી…

જે બાદ ગત તા.૧૦ ના રોજ ફરિયાદી તથા સાહેદ પોપટભાઈ ખેતરે ગયા હોય ત્યારે ઉપરોક્ત આરોપીઓ તેમના માલ ઢોર લઈને ખેતર નજીક આવતા પોપટભાઈ તેમને સમજાવવા જતાં આરોપીઓ ઉશ્કેરાઈ જઈ પોપટભાઈને ગાળો આપી લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો, જેથી આ બનાવમાં પોલીસે ચાર શખ્સો સામે વળતી પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!