વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીમાં રહી ખેત મજૂરી કામ કરતા પરિવારની ચાર વર્ષની માસુમ બાળકનું વાડીમાં આવેલ પાણીના ટાંકામાં ડુબી જવાથી મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલ હુશનેભાઇ મીમનજીભાઇ શેરસીયાની વાડીમાં રહેતા ભલુભાઇ કલારીયાની ચાર વર્ષની માસુમ બાળકી પ્રવિણા ભલુભાઇ કલારીયા કોઈ કારણસર વાડીમાં આવેલ પાણીના ટાંકામાં ડુબી જતાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf