વાંકાનેર ખાતે આવેલી સરકારી નર્સરી ખાતે ફળ પાકના રોપાઓ જેવા કે, સીતાફળ, બીલા, રાયણ, આંબલી, આંબળા, જામફળ, કોઠા, જાંબુ સહિતના રોપાઓ રાહત ભાવે ઉપબ્ધ છે. જેથી રસ ધરાવતા અને ખરીદી કરવા માંગતા ખેડૂતોએ બાગાયત અધિકારીશ્રીની કચેરી, ફળ રોપા ઉછેર કેંદ્ર, જડેશ્વર રોડ, દુધની ડેરી સામે, વાંકાનેરનો સંપર્ક કરી વાંકાનેર નર્સરી ખાતેથી ફળ પાકના રોપાઓ મેળવી લેવાના રહેશે…

અહીં નર્સરીમાં પ્રતિ રૂ.૧૫ના ભાવે ૭૮૦૦ જાંબુ અને ૧૬૦૦ ખાટી આંબલી, પ્રતિ રૂ.૧૦ના ભાવે ૭૦૦ કોઠા, ૪૦૦ લાલ જામફળ, ૫૦૦ આંબળા, ૧૭૦૦ રાયણ, ૨૫૦૦ ફાલસા, ૫૦૦ કરમદા અને ૧૦૦૦ બીલા વગેરે ફળ પાકના રોપાઓ ઉપબ્ધ છે. તેમ બાગાયત અધિકારીશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!