વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની અધ્યક્ષતામાં સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર વિસ્તારમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવી અને આગામી દિવસોમાં લોકો વચ્ચે રહી અને લોકપ્રશ્નોને વાચા આપવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો…
આ તકે વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઇ ગોહિલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ આંબલીયા દ્વારા આગામી દિવસોમાં વાંકાનેર વિસ્તારમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરી લોકો વચ્ચે જઇ અને લોકોના વિવિધ પ્રશ્નોએ તંત્ર સામે લડત આપવા નક્કી કરવામાં આવ્યું હતું, આ સાથે જ આવતીકાલે ચોટીલા ખાતે પધારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું વાંકાનેર કોંગ્રેસ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ બેઠકમાં વાંકાનેર વિસ્તારના જીલ્લા/તાલુકા પંચાયત સદસ્યો, આગેવાનો તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1