વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા એક સિરામિક કારખાનામાં કામ કરતી વેળાએ કોઈ કારણસર પતરાના સેડ પરથી નીચે પડી જતા કારખાનેદાર આધેડનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરવામાં આવે છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના રસનાળા ગામના વતની અને હાલ મોરબીના રવાપર ગામના ધુનડા રોડ પર હનુમાનજીના મંદિર પાછળના વિસ્તારમાં રહેતા રમેશભાઇ કરશનભાઇ વરસડા (ઉ.વ. 47) ગત તા. 22ના રોજ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ પોતાના રેસેરા સીરામીકમાં સિમેન્ટના પતરાના શેડમાં કામ કરતા હોય જે દરમિયાન કોઈ કારણસર ત્યાંથી પડી જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેમનું મોત થયું હતું.

ઉપરોક્ત બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!