આગામી તા ૧૭ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય જે નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે બીજી પણ સેવાકીય પ્રવૃતિઓ કરવાનો સંકલ્પ વાંકાનેર ભાજપ ટીમ દ્વારા કરવામાં આવ્યો છે….

બાબતે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આગામી તા ૧૭ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય જે નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ દ્વારા વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજન શાળા, દિવાનપરા મેઇન રોડ, પેટ્રોલ પંપની સામે, વાંકાનેર ખાતે એક બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે…

આ કાર્યક્રમ સાથે જ વધારાની સેવાકીય પ્રવૃતિઓમાં સવારે 9 થી 3 વાગ્યા સુધી આયુષ્યમાન ભારત કાર્ડ, વૃદ્ધાના ઉંમરના દાખલા, વેક્સિનેશન, કોવિડ ચેકઅપ નિદાન, ડાયાબિટીસ અને બી.પી.ના નિદાન સહિતની કામગીરીઓ તેમજ કેમ્પમાં હાજર હોય તે તમામ દવાઓ પણ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે…

આ કેમ્પની સાથોસાથ રાજકોટ સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાની ગ્રાન્ટમાંથી વાંકાનેરને આપવામાં આવેલ બેઝીક લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે મીની આઇ.સી.યુ. સાથેની અતિ આધુનિક પ્રકારની એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ વાંકાનેર સિવિલ હોસ્પિટલને કરવામાં આવશે…

આ રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ તેમજ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન વાંકાનેર ભાજપ સુપ્રીમો કેશરિદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, મહામંત્રી દિપકભાઈ પટેલ, ક્રિપાલસિંહ ઝાલા, ઉપપ્રમુખ હિરેનભાઈ ખિરૈયા, અમિતકુમાર શાહ, નિશિતકુમાર જોષી,‌ સંજયભાઈ જાડા, અરજણભાઇ રાતડીયા, શારદાબેન બોશિયા, મંત્રી અમિતભાઈ સોની, નરેન્દ્રભાઇ પાટડીયા, રીટાબેન મહેતા, નયનાબેન પરમાર,‌ શાંતાબેન વિજવાડીયા,‌ રમીલાબેન બારોટ, કોષાધ્યક્ષ રિધ્ધિષભાઈ લહેરૂ, કાર્યાલય મંત્રી મુળજીભાઈ ગેડીયા, પ્રવક્તા શૈલેશભાઈ ગોસ્વામી સહિતના દ્વારા કરવામાં આવશે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

 

error: Content is protected !!