વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સૌરાષ્ટ્ર – કચ્છના શિશુમંદિરથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રધાનાચાર્યો (પ્રિન્સીપાલ) માટે બે દિવસનો વર્ગ વાંકાનેર ખાતે વિદ્યા ભારતી શૈક્ષણિક સંકુલમાં યોજાયો હતો, જેમાં કુલ ૭૮ પ્રધાનાચાર્યો હાજર રહ્યા હતા…

આ તકે વિદ્યાભારતીના ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણીએ સમર્પણભાવથી કાર્ય કરનારા, માનવીય અભિગમ ધરાવતા, સચ્ચાઈ, નૈતિકતા, દેશપ્રેમને વરેલા, સમાજને વધુ આપનારા વિદ્યાર્થીઓ નિર્માણ કરતા ક્રિયાકલાપો વિદ્યાલયોમાં યોજવા પ્રધાનાચાર્યો કડીરૂપ કાર્ય કરે છે તેમ જણાવ્યું હતું.

શ્રી સુનિલભાઈ પરમારે વિદ્યાર્થીને સાક્ષર બનાવતા શિક્ષણને સાર્થક બનાવતા, ગુરુ શિષ્ય પરસ્પરના સંબંધોથી વિચારશિલ, જ્ઞાન પરાયણ અને સેવા પરાયણ નાગરિકોના નિર્માણમાં પ્રધાનાચાર્યો સૌથી મહત્વની કડી છે તેમ જણાવી રાષ્ટ્રના ચિરકાલિન વૈભવ માટે, માનવનિર્માણ કરનારા, વિદ્યાભારતીના કાર્યકર્તાઓ જીવનભર પરિશ્રમ કરી સમાજસેવા-ઈશ્વરસેવામાં પોતાની જાત ન્યોચ્છાવર કરે છે, તેની ફલશ્રુતિરૂપે શિક્ષણમાં થઈ રહેલા પરિવર્તનને આવકાર્યુ હતું….

આ સમગ્ર કાર્યક્રમમાં વાંકાનેર વિદ્યાભારતીના દર્શનાબહેન જાની, જયંતિભાઈ પડસુંબિયા, મમતાબહેન પંડયા, નિલેશભાઈ ધોકીયા, ખ્યાતિબહેન કરથીયા, મૌલિક વ્યાસ, પુષ્કરભાઈ ત્રિવેદી અને આચાર્યગણે બે દિવસના તમામ કાર્યક્રમ, બેઠકો, ભોજન તથા સુરક્ષાની વ્યવસ્થા સંભાળી હતી. તેમજ ગોંડલના શ્રી યોગેન્દ્રસિંહ ઝાલાએ પ્રધાનાચાર્યોના વર્ગના આયોજનની કલ્પના, સામુહિક કાર્યક્રમોનું મહત્વ તથા વિચારધારાના દૃઢીકરણને ઉજાગર કરતું પ્રાસ્તાવિક પ્રવચન આપ્યું હતું….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!