વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ વાડીમાં પાણીની કુંડીમાં રમત રમતા એક ત્રણ વર્ષનું બાળક પડી જતાં ડુબી જવાથી બાળકનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ ઇન્તેખાબ નામના ખેડૂતની વાડીએ મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની શ્રવણભાઈ માનકરનો ત્રણ વર્ષનો પુત્ર રાજમોહન રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!