વાંકાનેર ધારાસભ્યની સુચનાદી ભાજપ આગેવાનો દ્વારા રસ્તો ખુલ્લો કરતા વાહન વ્યવહાર પુનઃ શરૂ….

વાંકાનેર શહેર નજીક હાઇવેથી હળવદ, થાન તથા લુણસર તરફ જવાનો મુખ્ય રસ્તો વઘાસીયા ટોલ પ્લાઝા દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોને ભારે લાંબો આટો ફરી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય, જેથી બાબતે આજરોજ વાંકાનેરના ધારાસભ્યની સૂચનાથી ભાજપ આગેવાનો દ્વારા આ રસ્તાને પુનઃ ખુલ્લો કરી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો…

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર શહેર નજીક હાઇવે પરથી હળવદ, થાન તેમજ લુણસર મહાલના વિસ્તારનાં ગામડાંના લોકોને આવવા જવાનો મુખ્ય રસ્તો ટોલનાકા દ્વારા અચાનક બંધ કરી દેવાતા આ વિસ્તારનાં લોકોની રજુઆતને ધ્યાનમાં લઈ વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીની સુચનાથી ભાજપ અગ્રણી હીરાભાઈ બાંભવા, કીશોરસિંહ ઝાલા, અશ્વિનભાઈ મેઘાણી, ડાયાભાઈ સરૈયા, રાજુભાઈ જાપડા, સહિતના દ્વારા રૂબરૂ ટોલનાકે જઈ પ્લાઝા મેનેજરને મળી રજૂઆત કરી અને લુણસર મહાલના લોકોને આવવા જવાનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!