વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સિરામિક કારખાનામાં સિમેન્ટ અને કાંકરી મિક્ષ કરવા માટેનું વાહન ડ્રાઇવર દ્વારા બેફિકરાઈ રીવર્સમાં લેતી વખતે ત્યાં ઉભેલા એક શ્રમિક યુવાનને અડફેટે લેતાં વાહન યુવાનના માથા પર ફરી જતાં યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ વાંકાનેર પોલીસમાં વાહન ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એમ્બીટો સીરામીક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં સંતોષકુમાર વિરેન્દ્રદાસજીનો ભાઈ આનંદદાસ વિરેન્દ્રદાસજી ગઈકાલે કારખાનાની અંદર કામ કરી રહ્યો હતો,

ત્યારે સિમેન્ટ કાંકરી મિક્ષ કરવાનું એઝેક્સ ફ્લોરિ વાહન નંબર MH 45 H 0420 લઈને વાહન ચાલક પસાર થતો હતો ત્યારે ગફલત ભરી રીતે તેને પોતાનું વાહન રિવર્સમાં લેતા પાછળ ઉભેલા આનંદદાસ વિરેન્દ્રદાસજીને અડફેટે લઇને પછાડી દીધો હતો અને તેના માથા ઉપરથી વાહનનું તોતિંગ વ્હીલ ફરી જતાં યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ દ્વારા વાહનચાલકની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!