વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ચેકડેમમાં ડુબી જવાથી બાળકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ગાત્રાળનગરમાં રહેતા રમેશભાઈ બાંભવાનો પંદર વર્ષનો દીકરો ઉદયભાઇ રમેશભાઈ બાંભવા સિંધાવદર ગામ પાસે આવેલ પાનીયા ચેકડેમમાં ડૂબી ગયો હતો, જેથી તેનું મોત થયું હતું, જે બાદ મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!