વાંકાનેર શહેર ખાતે આવેલ ઐતિહાસિક શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષની શાનો સોકતથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં આ વર્ષે પણ આવતીકાલના રોજ ઉર્ષની પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે..…

વાંકાનેરની ઐતિહાસિક દરગાહ હઝરત શાહબાવા(રહે.) ખાતે રમઝાન ઈદના બીજા દિવસે એટલે કે આવતીકાલ રવિવારના રોજ ઉર્ષની પરંપરાગત ઉજવણીમાં રમઝાન ઇદના બીજા દિવસે સવારે 10 કલાકે હઝરત શાહબાવાના ગાદી, તકિયા અને ધોકો(અશો)ની યાદી સ્વરૂપે વિશાળ ઝુલુસ વાંકાનેરના રાજમાર્ગો પર કાઢવામાં આવશે. જે શાહબાવા દરગાહ ખાતે પુરૂ કરી ત્યા ચાદર ચડાવી સલામ બાદ ન્યાઝ વિતરણ કરવામાં આવશે. જેથી આ ભવ્ય ઉજવણીમાં તમામ અકિદતમંદોને જોડાવા અપિલ કરવામાં આવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!