વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે રહેતા અને ખેતમજુરી કામ કરતા પરિવારની મહિલાઓએ કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે આવેલ વલીભાઇની વાડીએ રહી ખેતમજૂરી કરતા રેખાબેન બાબુભાઇ સીંગાડા (ઉ.વ.25) નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને પ્રથમ વાંકાનેર બાદ બેભાન હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!