માટેલ ગામના સરપંચની અરજી અનુસંધાને વાંકાનેર મામલતદારશ્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી…

વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે સરકારી ખરાબાની જમીન પર દબાણ કરનાર છ શખ્સો સામે પગલાં ભરવા માટેલ ગામના સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરાયા બાદ વાંકાનેર મામલતદાર દ્વારા સરકારી જમીન પચાવી પાડનાર છ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના સર્વે નંબર-279 ની સરકારી ખરાબાની 900 ચો.મી. જમીન આરોપી ૧). સવાભાઇ રામભાઇ ચાવડા, ૨). ખીમાભાઇ સવાભાઇ ચાવડા, ૩). રાજુભાઇ સવાભાઇ ચાવડા, ૪). મોહનભાઇ સવાભાઇ ચાવડા, ૫). અરવીંદભાઇ સવાભાઇ ચાવડા અને ૬). દીનેશભાઇ ખીમાભાઇ ચાવડા (રહે.બધા માટેલ)એ પચાવી પડવાના ઇરાદે કબ્જો કર્યો હોય જેથી માટેલ ગામના સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા અરજી કરવામાં આવી હતી…

જેમાં દરમિયાન લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા આ અરજી માન્ય રાખવામાં આવતા વાંકાનેર મામલતદાર ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણીએ ઉપરોક્ત છ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩, ૪(૩) તથા ૫(ગ) તથા આઇ.પી.સી. કલમ-૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!