ગુજરાત સરકારનો નિર્ણય, ખેડૂતોને સ્થળ પર જ પૈસા ભરીને વીજ લોડ વધારી અપાશે….
રાજ્ય સરકારે ખેડૂતોને વધારાના વીજ લોડના દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેમાં ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોએ હવે વધારાના વીજ લોડ પર દંડ નહીં ભરવો પડે. આ નિર્ણયથી ખેડૂતોને હવે સ્થળ પર જ પૈસા ભરીને વીજ લોડ પણ વધારી આપવામાં આવશે. ગુજરાત સરકાર સમક્ષ કિસાન સંઘ દ્વારા આ માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે સરકારે આ નિર્ણય લીધો છે અને રાજ્યના અનેક ખેડૂતોને ખેતી માટે મોટી રાહત મળી છે…
વિજ કનેક્શન માટે લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે, ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી આપવામાં આવશે અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. બીજી તરફ સરકારે સ્વૈચ્છિક જાહેર યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. આ યોજનાની મુદ્દત 31 મે 2023 સુધી લંબાવાઈ છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU