મુંબઈ ખાતે રહેતા દંપતિના મરણના દાખલા રજુ કરી ભેજાબાજોએ જમીનનો દસ્તાવેજ કરી જમીન વેચી મારી, દંપતિ સંજોગવશાત વાંકાનેર આવતા કૌભાંડ પરથી પડદો ઊંચકાયો….

મુળ વાંકાનેરના વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા એક વૃદ્ધ દંપતી પોતે હયાત હોય છતાં પણ તેના ખોટા મરણના દાખલા મેળવી તેમની માલિકીની વાંકાનેર ખાતે આવેલ ખેતીની 30 એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટે ચાલતા મોટા કૌભાંડ પરથી પડદો ઊંચકાયો છે, જેમાં બાબતે વૃદ્ધ વાંકાનેર ખાતે આવતા બાબતની તેમને જાણ થતાં તેઓએ સરકારી કચેરીઓમાંથી જરૂરી આધાર પુરાવા મેળવીને હાલમાં અંદાજે 25 કરોડ કરતાં વધુની કિંમતી જમીનનું કૌભાંડ આધારનાર બે મહિલા સહિત કુલ પાંચ શખ્સો સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વાંકાનેર શહેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ (ઈસ્ટ) અરોરા સીનેમાની પાછળ કૉંગ સર્કલ માટુંગા એમ-ઘોટીકર માર્ગ ૩૧/૯ હેમકુંજ ખાતે રહેતા રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી (ઉ.વ. ૯૨)એ વાંકાનેર સિટી પોલીસમાં બે મહિલા સહિત પાંચ શખ્સોની સામે ખોટા મરણના દાખલા અને ખોટા દાસ્તાવેજો ઊભા કરીને તેમની માલીકીની જમીન પચાવી પાડવા કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમને જણાવ્યુ છે કે, તેઓની વડીલો પાર્જીત મિલ્કતમાં મકાન “શાન્તીસદન” દીવાનપરામાં આવેલ છે તેમજ ખેતીની જમીન વાંકાનેર તાલુકાના રેવન્યુ સવૈ નંબર (૧) રે.સ.નં ૧૦/૨ પૈકી ૨, રે.સ.નં. ૧૨ પૈકી ૧ તથા (૩) રે.સ.નં. ૧૨ પૈકી ૨ તથા (૪) રે.સ.નં ૧૮ પૈકી ૧, (૫) રે.સ.નં ૧૮ પૈકી ૨, (૬) રે.સ.નં. ૧૯, (૭) રે.સ.નં. ૨૦, (૮) રે.સ.નં. ૨૫/ ૧ પૈકી ૪, (૯) રે.સ.નં ૨૫/ ૧ પૈકી ૬ ની ખેતીની જમીન આવેલ છે,

દરમ્યાન થોડા સમય પહેલા વૃદ્ધ લગ્ન પ્રસંગ માટે વાંકાનેર આવેલ હોય ત્યારે તેના ધ્યાને આવેલું હતું કે, તેની જમીનના રેવન્યુ રેકર્ડમાં ખોટી રીતે નોંધ કરાવી રૅન્યુ રેકર્ડમાં ખોટા વ્યવહારો કરવામા આવેલ છે. અને કેટલાક લોકો દ્રારા જમીન પોતાના નામે કરાવી લેવા માટે કાવતરૂ કરવામા આવ્યું છે, જેથી તેઓએ વાંકાનેર સબ રજીસ્ટારની કચેરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓના સર્વે નંબર વાળી જમીનનો તા.૧૩/૦૯/૨૦૨૨ ના દસ્તાવેજ થઇ ગયેલ છે, જેથી કરીને દસ્તાવેજની નકલ મેળવતા જમીન વેચનાર તરીકે આરોપી ૧). મોનાબેન રજનીકાન્ત મહેતા (રાજેશભાઇ મહેતા, રહે. બાબુની ચાલી કાલુપુર અમદાવાદ) તથા ૨). કુસુમબેન રજનીકાન્ત મહેતા (રમેશકુમાર દતાણી, રહે, ઉર્દુ સ્કુલ સામે કામદાર મેદાન પાસે, ગોમતીપુર અમદાવાદ) વાળાના નામ હતા અને ખરીદનાર તરીકે ૩). સુચીતભાઇ રમેશભાઇ જોષી (રહે. બજરંગવાડી, પવન પાર્ક રાજકોટ)નું નામ દર્શાવામાં આવ્યું છે. અને તેને ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ રૂપીયા ૩,૧૩,૩૮,૦૦૦ નો દસ્તાવેજ કરી આપેલ છે, જેમા સાક્ષી તરીકે ૪). રમેશભાઈ ડાયાભાઇ વડોદરીયા (રહે. ગીતાનગર જકાતનાકા, ગોંડલ રોડ, રાજકોટ) અને ૫). જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા (રહે. રાધાપાર્ક-૨, માધાપર ચોકડી, જામનગર રોડ, રાજકોટ)ના નામ લખેલા છે..

ત્યાર બાદ વાંકાનેર મામલતદાર કચેરી ખાતેથી વૃદ્ધે ખેતીની જમીનના માલીકીના ૭/૧૨ તથા ૮-અ ના રેવન્યુ રેકર્ડ મંગાવતા જાણવા મળ્યું હતું કે, તેઓની માલીકીની જમીનમાં માલીક તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા (રાજેશભાઇ મહેતા) તથા કુસુમબેન રજનીકાન્ત મહેતા (રમેશકુમાર દતાણી) નાઓ નોંધ નંબર-૫૫૪૦ થી નોંધ દાખલ કરવામાં આવેલ છે, જેથી અમોએ ગામ નમુના નંબર ૬ (હક્ક પત્ર) ની માહીતી મેળવતા તેમા વારસાઇની નોંધ નંબર ૫૫૪૦ તા. ૨૨/૦૫/૨૦૨૨ થી નોંધ દાખલ કરવામાં આવેલ છે કે “વાંકાનેર તાલુકાના મોજે વાંકાનેર ગામના ખેડુત ખાતેદાર શ્રીમાન રજનીકાન્ત શાન્તીલાલના ખાતા નંબ૨ ૧૩૨૫૩૨ થી માર્જનમાં જણાવેલ જમીન તેઓના ખાતે ચાલે છે, જે પૈકીની રજનીકાન્ત શાન્તીલાલ ખાતા નંબર ૧૩૨ નું અવશાન તા.૩/૫/૨૦૦૫ ના રોજ થતાં સીધી લીટીના વારસદારો તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા અને કુસુમબેન રજનીકાન્ત મહેતાના નામ આધારે અન્યના નામ તેની જમીનમાં ચડાવવામાં આવ્યા છે, જો કે, મોનાબેન રજનીકાન્ત મહેતા અને કુસુમબેન રજનીકાન્ત મહેતાને તેઓ ઓળખતા નથી અને જમીનના માલિક વૃદ્ધ હયાત હોવા છતાં પણ તેના મરણનો દાખલો લઈને ખોટી વાસાઇની નોંધ કરાવીને રેવન્યુ રેકર્ડમાં ચેડા કરવામાં આવ્યા છે…

અત્રે ઉલેખનીય છે કે, ફરિયાદી વૃદ્ધ અને તેના પત્ની હયાત હોવા છતાં પણ તે બન્નેના મરણના પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનીશીપલ કોર્પોરેશનના ખોટા રજુ કરવામા આવેલ છે અને વૃદ્ધના પત્નીનુ સાચું નામ કુસુમબેન છે છતાં અન્ય કોઇ કામીનીબેન રજનીકાન્તના મરણનો દાખલો રજૂ કરવામાં આવ્યો છે અને તલાટી રૂબરૂના જવાબમાં તા.૧૮/૫/૨૦૨૨ અમદાવાદના તલાટી બી. બી. રાઠોડે પેઢી આંબામા પણ ખોટી હકીકત જણાઇ આવેલ છે. તેમજ તલાટી મંત્રી રૂબરૂના પંચરોજ કામમા પણ ખોટી વિગત આપીને પંચરોજ કામ કરવામા આવ્યું છે, જેમાં નોટરી તરંગ આર. દવે રૂબરૂનું રૂપીયા ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવામા આવ્યું છે અને નોટરી રૂબરૂનુ વારસાઇ અંગેનુ સોગંદનામુ કરવામા આવેલ છે. જેમાં પણ ફરિયાદી અને વારસદારોની હકીકત ખોટી આપવામાં આવી છે, આમ બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા વૃદ્ધની માલિકીનું કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતું,

જેની સમયસર વૃદ્ધને જાણ થઈ ગયેલ હોવાથી તેને હાલમાં આરોપી ૧. સુચીતભાઇ રમેશભાઇ જોષી, ૨. મોનાબેન રજનીકાન્ત મહેતા, ૩. કુસુમબેન રજનીકાન્ત મહેતા, ૪. રમેશભાઇ ડાયાભાઇ વડોદરીયા અને ૫. જયંતિભાઈ ધીરૂભાઇ સાકરીયા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવી છે, જેમાં જણાવ્યુ છે કે, મરણના ખોટા દાખલાઓ બનાવી તેઓની વડીલો પાર્જીત ખેતીની જમીન પોતાના નામે કરીને ખોટી વારસાઇ નોંધ, ખોટા વારસાઇ પેઢી આંબા અને ખોટા સોગંદનામા કરી જમીન ફરિયાદીની જાણ બહાર સુચીતભાઇ રમેશભાઇ જોષીને વેચી છે, જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

 

error: Content is protected !!