મોરબી તાલુકા પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની મોરબી તાલુકા ત્રાજપર ગામમાં સીટી સર્વે નં. ૨૩૬૦/૨ પૈકીની જમીનમાં પરશુરામ પોટરીમાં મજુરોના કવાટર્સમાં બનાવેલ હોય જે પૈકી મકાન નં. ૪૩ ગૌશાળા વાળી લાઈનમાં આવેલ રહેણાક મકાનમાં આ કામના આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી અને આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ-૩(૩), ૫(સી) મુજબ નોંધી ધરપકડ કરવામા આવેલી,

જેમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રીશ્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હોય જેની આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નિર્દોષ છે. ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે. આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે. અમો આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી. પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી. તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ ૨જુ કરેલજ જેમાં કોર્ટે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી ત૨ફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પ૨મા૨, સાગ૨ પટેલ, દીવ્યા સીતાપરા રોકાયેલા હતા….

 

error: Content is protected !!