વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક આવેલ એક કારખાનામાં દીવાલ માથે પડતા કામ કરતા શ્રમિક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ અન્ટીલ ફાર્મ નામના કારખાનામાં કામ કરતા નરવતભાઈ સોમાભાઈ બારિયા (ઉ.વ.35, રહે. મૂળ દાહોદના, હાલ વાંકાનેર)નામના યુવાનનું કારખાનામાં કામ કરતી વેળાએ દીવાલ માથે પડતા મોત થયું હતું જે બનાવને પગલે મૃતક યુવાનના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!