વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા બેઠક પર કોંગ્રેસના મજબૂત ઉમેદવાર યુનુસભાઈ શેરસીયા આ વખતે ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આ વિસ્તારના રસીકગઢ ગ્રામ પંચાયતના સરપંચ યાસીનભાઈ માથકીયા અને ગારીયા ગ્રામ પંચાયતના સરપંચ પુષ્પરાજસિંહ વાળાએ ચુંટણી પ્રચારની કમાન સંભાળી છે….

અત્રે ઉલ્લેખનીય છે કે યુનુસભાઈ શેરસીયા વર્ષોથી રાજકારણમાં સક્રિય હોય અને તેમના પત્ની વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દસ વર્ષ સેવા આપી ચુક્યા હોય જેથી તેમણે આ સમયગાળા દરમિયાન કરેલા વિકાસના કામોથી ગારિયાના મતદારો ખુશ છે અને આ વખતે યુનુસભાઈ શેરસીયાને જંગી બહુમતીથી વિજયી અપાવવા માટે તત્પર દેખાઇ રહ્યા છે.

આ સાથે જ આ ગારિયા બેઠક પર હાલ કોંગ્રેસના પંજાની પકડ મજબૂત દેખાઇ રહી છે જેને વધુ મજબૂત બનાવી અને વાંકાનેર તાલુકા પંચાયતની તમામ સીટોમાથી સૌથી વધુ લીડ સાથે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બને તેના માટે ચુંટણી પ્રચારની કમાન રસીકગઢ અને ગારિયા ગામનાં સરપંચે સંભાળી છે…

રસીકગઢ ગ્રામ પંચાયતના સરપંચ યાસીનભાઈ માથકીયા અને ગારીયા ગ્રામ પંચાયતના સરપંચ પુષ્પરાજસિંહ વાળા આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર યુનુસભાઈ શેરસીયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને મતદારોને વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન કરી તેમને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે હાંકલ કરી રહ્યા છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!