વાંકાનેર શહેર નજીક હાઇવે પર મોડી રાત્રીના પોતાનું બાઈક લઈને ઉભેલા એક યુવાન પર અન્ય બે શખ્સોએ આવી ‘ અમારી સામે ફરિયાદ કેમ આપે છે ‘ તેમ કહી ધોકા તથા છરી વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા ઈનાયતભાઈ અયુબભાઇ પીપરવાડીયા(ઉ.વ. ૨૫) નામનો યુવાન ગત તા.4ના રોજ મોડીરાત્રે જકાતનાકા નજીક ચાની હોટલે ઉભો હતો ત્યારે ત્યાં આરોપી જાકીરભાઈ મહંમદભાઇ રાઠોડ અને નુરમહંમદભાઈ મકવાણા ઓટો રિક્ષામાં આવી ધોકો લઈને નીચે ઉતરતા ફરિયાદી ઈનાયતભાઈ અયુબભાઇ પીપરવાડીયા ત્યાંથી પોતાનું એક્ટિવા લઈ જતા રહેતા રીક્ષામાં પીછો કરી સર્વિસ રોડ રેલ્વે નાલા નજીક યુવાનને ઉભો રાખી ‘ અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ આપે છે ? ‘ તેમ કહી ધોકા વડે માર મારી છરીનો એક ઘા મારી લીધો હતો, જેમાં યુવાનને ઈજા પહોંચી હતી…

જેથી યુવાનને સારવાર અર્થે પાસલીયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે બાદ યુવાને બંને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ 323, 324, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

 

 

error: Content is protected !!