ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોને રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે, જેમાં આ વર્ષે વાંકાનેર તાલુકાના ગુંદાખડા પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી ઉમેશ દિનેશકુમાર સાગરને વાંકાનેર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા…

ગુંદાખડા પ્રાથમિક શાળાના શિક્ષક એવા ઉમેશ દિનેશકુમાર સાગરે પોતાની શાળામાં આધુનિક ટેકનોલોજીનો પ્રવર્તમાન શિક્ષણના પ્રવાહો સાથે ઉપયોગ કરી ખૂબ જ અસરકારક શિક્ષણ કાર્ય કરી શ્રેષ્ઠ કામગીરી દર્શાવી હતી જે બદલ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે શિક્ષક દિવસ નિમિત્તે તેઓને વાંકાનેર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

error: Content is protected !!