સતત સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા વાંકાનેરના યુવા મુસ્લિમ અગ્રણી તેમજ સામાજિક કાર્યકર સરફરાઝભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા દશેરાના દિવસે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ ચામુંડા ગરબી, મેલડી ગરબી મંડળ, શક્તિ ગરબી મંડળ તેમજ ક્રિષ્ના ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ કરી હિન્દુ-મુસ્લિમ એકતાનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું…

અત્રે ઉલ્લેખનીય છે કે સરફરાઝભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા સતત આવા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે જેમાં તેમણે કોરાના કાળમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ઓક્સીજન બોટલોની સેવા, રાશન કીટ વિતરણ સહિતની સેવા આપી હતી. જે સેવાયજ્ઞ હજુ પણ ચલાવવામાં આવી રહ્યો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!