વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે ખેડૂતના ઘરે વિજળી પડતાં બળદનું મોત….

0

વાંકાનેર વિસ્તારમાં ગઇકલે રાત્રીના વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો જેમાં ઠેરઠેર નુકસાનીના વાવડ મળી રહ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ ખાતે આવેલ વકાલીયા ઉસ્માનભાઈ આહમદ નામના ખેડૂતના ઘરે વિજળી પડી હતી….

જેમાં ઘરના ફળિયામાં વાવેલ વૃક્ષ પર વિજળી પડતાં લીમડા નીચે બાંધેલ એક બળદનું મોત થયું હતું, સદનસીબે આ બનાવમાં વધુ કોઈ નુક્સાની કે જાનહાનિ થયેલ નથી. બાબતે ગ્રામજનોએ બનાવની જાણ વાંકાનેર તંત્રને કરી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso