યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણી તેમજ વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાનોએ આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો….

કોરોના વાયરસનાં સંક્રમણ સામે એક માત્ર અમોઘ શસ્ત્ર એવી કોરોના વેક્સિન બજારમાં આવતાં જ જાગૃત નાગરિકો તેને લઈને કોરોના સામેની લડાઇ લડવામાં દેશને મદદ કરી રહ્યા છે ત્યારે વાંકાનેર માર્કેટ યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદાએ આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતેથી વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે જ તેમના મોટા ભાઈ શાઈર પીરઝાદા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જાહિદ ગઢવારા, વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા, મહંમદભાઈ મંત્રી (ચંદ્રપુર), મંજુર-તીથવા, તાજુદ્દીન-રાજાવડલા, ઝમીર-રાજાવડલા સહીતના યુવાનોએ પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો…

આ સાથે જ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણીએ પણ આજે વાંકાનેર તાલુકાના કોઠી PHC ખાતેથી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો…

આ તકે યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા તથા વાઇસ ચેરમેન અશ્વિન નવઘણભાઈ મેઘાણીએ વાંકાનેર વિસ્તારના નાગરિકોને કોરોના વેક્સિન લેવા માટે અપિલ કરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!