વાંકાનેર શહેરના દીવાનપરામાં સ્ટેચ્યુ ચોક નજીક આવેલ જૂની પીજીવીસીએલ કચેરીને પાડવાની કામગીરી ચાલી રહી હોય, દરમિયાન સર્જાયેલ દુર્ઘટનામાં પ્રથમ એક શ્રમિકનું મોત થયા બાદ હવે ઇજાગ્રસ્ત મજૂરની પણ સારવાર નિષ્ફળ નિવડતા તેનું પણ મોત થયું છે, જેથી આ દુર્ઘટનામાં મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દીવાનપરામાં અગાઉ ભાડાનાં મકાનમાં પીજીવીસીએલ કચેરી કાર્યરત હોય, જે મકાનને છેલ્લા થોડા દિવસોથી પાડવાની કામગીરી ચાલી રહી હોય દરમ્યાન ગઇકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બિલ્ડીંગ પાડતાં કાળમાટ નીચે દટાઈ જતાં રાજેશભાઈ બાલસીંગ (ઉ.વ. 18, રહે. મામલતદાર ઓફીસ પાછળ, વાંકાનેર) નામના મજુરનું મોત થયું હતું. જે બનાવમાં ઈજાગ્રસ્ત મુનીરસિંહ ડામોર (ઉ .વ.૪૮) નામના મજુરનું પણ રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. જેથી આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને બે પર પહોંચ્યો છે, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!