વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ” શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા ” અભિયાન અંતર્ગત આજરોજ રાજકોટ વિભાગ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્વારા આયોજનબદ્ધ રીતે સતત બીજા અઠવાડિયે ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું…

જે અંતર્ગત વાંકાનેરની શારદા વિદ્યાલયના સંચાલક પરેશભાઈ મઢવી સાથે રહી સ્કુલના વિદ્યાર્થીઓ, ATI રહીમભાઈ પરમાર, વર્કશોપ કર્મચારીઓ, ડ્રાઈવર તથા કંડક્ટર સહિતના દ્વારા બસ સ્ટેન્ડ ખાતે સ્વછતા માટે ” શુભ યાત્રા સ્વચ્છ યાત્રા ” ના સુંદર આયોજનમાં સહભાગી બન્યા હતા. આ તકે વાંકાનેર એસ. ટી. ડેપો દ્વારા જયુભા. ડી. જાડેજાની કામગીરી બિરદાવી અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!