વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં આવેલ વાડીએ રહીને મજૂરી કામ કરતા આદિવાસી યુવાનએ કોઈ કારણસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં આવેલ સાજીદભાઈની વાડીએ રહી મજૂરી કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી ગોવિંદભાઈ અજોસિંગભાઈ મેડા નામના 20 વર્ષિય આદિવાસી યુવાને ભુલથી ઝેરી દવા પી જતા તેને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનના નાના ભાઈએ પાણીની બોટલમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા ભરેલી હોય, જે ભૂલથી ગોવિંદભાઈ પી જતા તેને ઝેરી અસર થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!