વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં હોસ્પિટલેથી રજા થયા બાદ મહિલાનું ઘરે મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા વૈશાલીબેન ઉર્ફે સંગીતાબેન કાંતિલાલ વોરા ગત તા.૨૫/૦૧ ના રોજ એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને પ્રથમ વાંકાનેર બાદમાં રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા, જેમાં સારવારથી સાજા થતાં તેમને રજા આપ્યા બાદ ઘેર આવી ગયા હતા. જ્યાં અચાનક જ તેમનું શરીર ઠંડુ પડી જતા મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!