વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામ ખાતે આવેલ માતાજીના મઢે એક મહિલાને કોઈ ઝેરી જીવડું કરડી જતા મહિલાને ઝેરી અસર થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામ ખાતે આવેલ માતાના મઢે દર્શન કરવા માટે આવે પૂજાબેન ગોપાલભાઈ માણસુરીયા (ઉ.વ. ૪૧, રહે. વેલનાથ પરા, રાજકોટ)ને કોઈ ઝેરી જીવડું કરડી જતા ઝેરી અસર થઈ હતી, જેથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!