વાંકાનેર તાલુકા પંથકમાંથી એક સગીરાનું લગ્નની લાલચે એક શખ્સ અપરહણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પંથકમાં રહેતા અને સિરામિક કારખાનામાં મજુરી કામ કરતા એક પરિવારની સગીરાને આરોપી પ્રેમી માનજી ભાંભર લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવી છે. જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે અપહરણનો ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ વાંકાનેર સી.પી.આઈ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!