આજ રોજ તા. 07/08/2021ને શનીવારના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વાંકાનેર શહેર ખાતે ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી હીરાભાઈ ટમારીયા, વાંકાનેર સ્ટેટ તથા ભાજપ અગ્રણી શ્રી કેસરીદેવસિંહજી ઝાલા,

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, વાંકાનેર શહેર મહામંત્રી કે. ડી. ઝાલા તથા દિપકભાઇ પટેલ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ ગાડુંભાઈ ધરજિયા, જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, વાંકાનેર નગરપાલિકા સદસ્ય જયશ્રીબેન સુરેલા તથા રીટાબા રાઠોડ, પોલિસ સલાહકાર સમિતિના સભ્ય અમરસિંહભાઈ મઢવી સહિતના ખાસ હાજર રહ્યા હતા…

આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવના હસ્તે દિપપ્રાગ્ટ્યથી કર્યા બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ મહાનુભાવો અને હાજર હોદ્દેદારોના હસ્તે 192 લાભાર્થીને આવાસ યોજનાના સોપણી પત્ર આપી આવાસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું…

આ તકે વાંકાનેર શહેર ભાજપ સંગઠનના હિરેનભાઈ ખીરૈયા, અમીતભાઈ શાહ, જાડા સંજયભાઈ, રાતાડિયા અરજણભાઈ, બોસિયા શારદાબેન, મંત્રી પાટડિયા અમીતભાઈ, નરેન્દ્રભાઈ પાટડિયા, પરમાર નયનાબેન, વીંજવાડીયા શાંતાબેન, રમીલાબેન બારોટ, કોષાધ્યક્ષ રિદ્ધિશભાઇ લહેરૂ, મૂળજીભાઈ ગેડિયા, ગજેન્દ્રસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ ઝાલા, ભરતભાઇ ઠાકરાણી, ટપુભા જેઠવા, મેહુલભાઈ ઠાકરાણી, મનુભાઈ સારેસા, હિમાંશુભાઈ ગેડિયા, મુકેશભાઈ સોલંકી, રાજભા ઝાલા સહિતના હાજર રહ્યા હતા….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!