35 વર્ષ નિષ્ઠા પુર્વક ફરજ બજાવી નિવૃત્ત થતા ચાવડા સાહેબને સગા-સંબંધી, સ્ટાફ તેમજ પરિવારજનો તરફથી શુભેચ્છા પાઠવવાઇ….
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. માં છેલ્લા 35 વર્ષથી પોતાની ફરજ નિષ્ઠા પુર્વક નિભાવી સ્ટાફ અને સ્નેહિજનોના દિલમાં વિશેષ સ્થાન જમાવનાર વાંકાનેરના એમ. કે. ચાવડા સાહેબ આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. છેલ્લા 35 વર્ષથી પીજીવીસીએલ માં સર્વેયર ડી.સી.ઈ. પોસ્ટ પર ફરજ બજાવતા ચાવડા સાહેબ આજે તા. 30/06/21 ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓ આજથી પોતાના જીવનના નવા નિવૃત્તિ અધ્યાયમાં પ્રવેશી રહ્યા છે જે નિમિત્તે તેમના સ્નેહીજનો, સગા-સંબંધી, પીજીવીસીએલના સ્ટાફ તેમજ પરિવારજનો દ્વારા તેમનું નિવૃત્ત જીવન સુખદ નિવળે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે….