વાંકાનેરના જીતુભાઇ સોમાણીએ જીલ્લા ભાજપ પ્રમુખની નોટિસનો જવાબ આપતા જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપર કર્યા ગંભીર આક્ષેપો…

વાંકાનેર શહેર ભાજપના પ્રમુખને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે નોટિસ આપ્યા બાદ હાલમાં રાજકારણ ગરમાયું છે અને વાંકાનેરના લોહાણા સમાજના કદાવર નેતા જીતુ સોમાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપર આક્ષેપ સાથેનો લેટર બોમ્બ સોશ્યલ મિડીયામાં વાયરલ કરેલ છે જેમા જીતુભાઇ સોમાણીએ ગંભીર આક્ષેપો કરતા વાંકાનેર ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યાં છે…

જીતુભાઇ સોમાણીએ લખેલ લેટરમાં તેમણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપે નક્કી કરેલ ટિકિટ ફાળવણી માટેની ગાઈડ લાઇનનો ભાગ માળીયા નગરપાલિકામાં થયો હોવા છતાં ત્યાં કેમ નોટિસ નહી ?, અગાઉ માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી તેમ છતાં તેઓની સામે કેમ કોઈ પગલા લેવામાં આવ્યા નથી ? અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને વાંકાનેર શહેર ભાજપના પ્રમુખને મોહનભાઇ કુંડારીયાએ અગાઉ ધમકી આપી હતી અને તેઓ જીતુભાઈ સોમાણીને મારી નાખશે અને બનાવ અકસ્માતમાં ખપાવી દેશે તેવો ભય વ્યક્ત કર્યો છે જેથી કરીને હાલમાં રાજકીય ગરમાવો મોરબી જીલ્લામા આવી ગયો છે…

વાંકાનેર શહેર ભાજપના પ્રમુખને જીલ્લા ભાજપના પ્રમુખ દ્વારા નોટીસ આપવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેરના ભાજપના કદાવર નેતા જીતુભાઇ સોમાણી દ્વારા હાલમાં જીલ્લા ભાજપના પ્રમુખને નોટીસ આપવામાં આવેલ છે જેમા તેમને લખ્યુ છે કે, તા.૨૩-૨ ના રોજ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ વ્યાસને જીલ્લા ભાજપ પ્રમુખે નોટીસ આપી છે જેનો જવાબ આપતા કહ્યુ છે કે શહેર ભાજપ પ્રમુખએ સંગઠનને મજબૂત અને લોક સેવાકીય પ્રવૃતિ કરનાર વ્યકિત છે એ કોઈ પગારદાર નોકરી કરનાર કમૅચારી નથી

આંમ , નિયમાનુશાર તેની પાસે ખુલાસો મંગી શકાય પરતું તેને નોટીસ આપવીએ ભારતીય જનતા પાર્ટીના બધારણથી વિરુદ્ધ છે અને નોટીસ મારા સંબધિત હોય તેમને લખ્યુ છે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા ૬૦+ અને સતત ત્રણ ટમેં ચૂંટણી જીતેલા વ્યકિતને ૨૦૨૧ ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવવા જેનું પાલન વાંકાનેર શહેર સંગઠને ખૂબ જ નિષ્ઠાપૂવૅક કર્યું છે પરંતુ ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા ડમી ઉમેદવાર તરીકે કોને ફોમૅ ભરવું અને કોને ફોમૅ ન ભરવું તેવી કોઈ ગાઈડલાઈન કે પરિપત્ર કરેલ નથી . સાથે સાથે જીલ્લા ભાજપ દ્વારા પણ આવી કોઈ સૂચના લેખિત કે મૈખિક શહેર સંગઠનને આપેલ નથી અને વાંકાનેર રાતીદેવરી જીલ્લા પંચાયતના ઉમેદવાર શેરશીયા ઝહીરભાઈના ડમી ઉમેદવાર તરીકે તેમના પિતા શેરશીયા યુસુફભાઈએ ભરેલ છે જે ૬૦+ ની ઉપર ઉંમર ધરાવે છે…

વધુમાં કહેલ છે કે, નોટીસમાં જણાવી રહયા છો કે વોર્ડ નંબર-૩ ના ઉમેદવારનું ફોમેં ખામી વાળુ ભર્યું હતું આ બાબત આપની પાયાવિહોણ છે. કેમ કે ઉમેદવારના ફોમેં જીલ્લા ભાજપ સંગઠન, શહેર ભાજપ સંગઠન અને લીગલ સેલ દ્વારા ભરવામાં આવે છે. આંમ ફોમૅ ખામી વાળુ છે તે ભરતી વખતે ખબર હોય તો આપે તે સુધારી લેવું જોઈએ નહિ કે ખોટા આક્ષેપો કરીને તમારી જવાબદારી માંથી છટકી જવાનું અને પ્રદેશ ભાજપની સ્પષ્ટ સૂચના હતી કે ૬૦+ ની ઉમરના વ્યકિતને ઉમેદવાર તરીકે ઉભા ન રાખવા છતા પણ તમે માળીયા નગરપાલિકાની ચૂંટણીમાં આ નિયમ વિરુધ્ધ ઉમેદવારો ઉભા રાખ્યા છે જેમા જેડા ફાતેમાબેન ઉષ્માનભાઈ વોર્ડ નંબર-૨ (૭૫), કટીયા નેકમામદ વલીમામદ વોર્ડ નંબર -૫ (૬૨), જામ અમીનાબેન મામદભાઈ વોડૅ નંબર-૪ (૬૨) જેડા હસીનાબેન જાનદમામદ વોર્ડ -૧ (૬૨) નો સમાવેશ થાય છે ત્યા કેમ નોટીસ નહી ? આ સમગ્ર બાબત તેઓ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બૉડને પણ કરશે તેવુ નોટીસમા જણાવેલ છે…

જીલ્લા ભાજપ દ્વારા પ્રદેશમાંથી આવેલ ચુટણી ફંડ વાંકાનેર શહેર સંગઠન સિવાય જીલ્લાના તમામ સંગઠનને આપવામાં આવ્યું છે તો વાંકાનેર શહેર સંગઠન સાથે આવુ વર્તેન શા માટે…? સાથો સાથ જીલ્લા સંગઠન દ્વારા પ્રદેશના નેતાઓની સભા, પ્રચાર વગેરે કાયૅ કયોં કરવામાં આવતા હોય છે વાંકાનેર શહેર સાથે એક પણ વખત આ બબતે સંકલન આ ચૂંટણીમાં કરેલ નથી તો વાંકાનેર નગરપાલિકામાં ભાજપના ઉમેદવારને જીતાડવાની જવાબદારી તમારી નથી ? સમગ્ર મોરબી જીલ્લામાં માળીયા નગરપાલિકાને બાદ કરતા દરેક જગ્યાએ ભારતીય જનતા પાટીંનો ભવ્ય વિજય થયો છે . આ ભવ્ય વિજય આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા તેમજ સંવદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કાયૅદક્ષતા અને પ્રદેશ પ્રમુખ પાટીલના નેતૃત્વને લીધે આવેલ છે આ ભવ્ય વિજય કોઈ એક વ્યકિતના કારણે આવેલ નથી જે મોરબી જીલ્લામાં હાલ શેખી મારી રહ્યા છે.

મોરબી ધારાસભાની પેટા ચૂંટણીમાં કાંતીલાલ અમૃતિયાએ ભાજપ વિરુદ્ધમાં કામ કરેલ છે જેની જાણ જીલ્લા ભાજપ સંગઠન , પ્રદેશ ભાજપ સહિત તમામને ખબર છે છતા પણ આજ દીન સુધી તેને કોઈ પણ પ્રકારની નોટીસ કે મીડીયામાં તેના વિરુદ્ધ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી તેનું કારણ શું ? હું લોહાણા સમાજમાંથી આવું છું અમારા સમાજની વસતી ખૂબ જ ઓછી છે મારો સમાજ મને રાજકીય પ્રતિનીધીત્વ આપ્યું છે જયારે જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઇ અને મોહનભાઈ કુંડારીયા વારંવાર રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયત્નો કરી રહયા છે.

વધુમાં એવુ પણ લખેલ છે કે, મોરબી જીલ્લામાં મોહનભાઈ કુંડારીયા પોતાનો રાજકીય પ્રભાવ વધારવા એન – કેન પ્રકારે ભાજપના કાયૅકરોને દબાવીને ધમકાવીને પોતાના દબાણમાં રાખવા કાયૅ કરી રહયા છે મોરબી જીલ્લાના ભૂતપૂર્વે જીલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખને જડેશ્વર પણ નહિ પોહચ તારા ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપેલ હતી. આ ઉપરાંત વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પણ મારા કહયામાં રહો નહિતર (…..) લગાડી દઈશ તેવું કહેલ છે આમ મોહનભાઈનો સ્વભાવ ડંખીલો છે તે મને પણ કયારે મારી નાખશે કે અકસ્માતમાં ખપાવી દેશે તેનો ભય લાગે છે. આ સિવાય ધણા બધા મુદદાઓ છે જે આવનાર દિવસોમાં સમય આવીયે કહીશ તેનો લેટર હાલમાં સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

 

error: Content is protected !!