વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે આવેલ સિરામીક કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતા એક શ્રમિકએ કોઈ અગમ્ય કારણોસર કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ એક્યુટોપ સિરામિક કારખાનામાં કામ કરતા અને ઓરડી નંબર ૨૯માં રહેતા લાલસીંગ શ્યામલાલ આહીરવાલા નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!