વાંકાનેર શહેરમાં બીપરજોય વાવાઝોડાના કારણે ગત તા.15ના રોજ ખોજાખાના વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા પોતાના ઘર પાસે પડી ગયા હોય જેથી તેમને પ્રથમ વાંકાનેર બાદ મોરબી અને ત્યાર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ખોજાખાના વિસ્તારમાં રહેતા ધીરુભાઈ દેશૂરભાઈ તરેટિયા (ઉ.વ. 60) નામના વૃદ્ધ બીપરજોય વાવાઝોડાના કારણે ગત તા.15ના રોજ તેમના ઘર પાસે પડી ગયા હતા, જેથી તેમને સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ મોરબી અને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!