વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પડેલ ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સાલ પરિણીતાની સારવાર ચાલી રહી છે. બનાવ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે રહેતા યાસ્મીનબેન ઇકબાલભાઈ દલપોત્રા નામની પરિણીતા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી બનાવની નોંધ કરી પરિણીતાએ ક્યા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!