વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ફેક્ટરીમાં રહીને મજુરી કામ કરતા એક દંપતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ મોટો સ્ટોન કારખાનામાં કામ કરતા આશિષકિશોર શાહુ (ઉ.વ.27) અને તેના પત્ની વનિતાબેન આશિષ શાહુ (ઉ.વ. 22)એ બંને પતિ-પત્ની કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તાત્કાલિક તેમને સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી દંપતીએ ક્યાં કારણોસર દવા પીધી તે દિશામાં તપાસ શરૂ કરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!