વાંકાનેર શહેર નજીક વઘાસિયા ગામની સીમમાં આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ મશીન કન્વેયર બેલ્ટમાં આવી જતા સગીરનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર શહેર પોલીસ દ્વારા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ ન્યુ વર્ધમાન સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ અચાનક મશીનનો કન્વેયર બેલ્ટમાં આવી જતાં 16 વર્ષીય સગીર ગણેશ મહાદેવભાઈ ભીલનું મોત થયું હતું જેથી બનાવની જાણ વાંકાનેર શહેર પોલીસને થતાં પોલીસે સગીરના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!