વાંકાનેર ઠાકોર સેના દ્વારા તાલુકાના સિંધાવદર ગામે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મીઠાની ફેક્ટરીની દિવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા 12 મજુરોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. હળવદની આ ગોઝારી ઘટનામાં ઠાકોર સમાજના 9 લોકો તથા ભરવાડ સમાજના 3 લોકોના મુત્યુ થયા હતા જે તમામને ઠાકોર સેના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી….

વાંકાનેર ઠાકોર સેના, મોરબી ઠાકોર સેના અને સિંધાવદર ગામના યુવાનો અને આગેવાનો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૌન રહીને પ્રભુ-પરમાત્માને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!