વાંકાનેરની સુપ્રસિદ્ધ હઝરત શાહબાવા દરગાહ તથા મસ્જીદમાંથી પંખા ચોરીનો બનાવ સામે આવતા વાંકાનેર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે, જેમાં આ બનાવમાં આરોપી મસ્જિદ તથા દરગાહના કુલ આઠ પંખાઓની ચોરી કરી તેને ભંગારમાં વેંચવા જતા બનાવ પરથી પડદો ઊંચકાયો હતો, જે બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલના રોજ વાંકાનેરની હઝરત શાહબાવા દરગાહ તથા મસ્જીદમાંથી આઠ પંખા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બનાવમાં પંખાની ચોરી કરી ભંગારના ડેલામાં વેંચાણ કરવા ગયેલ આરોપી સરફરાઝ હુશેનભાઈ ફકીર(રહે. મીનારા શેરી, વાંકાનેર)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ બનાવમાં પોલીસે ચોરી થયેલ મુદ્દામાલ પણ ભંગારના ડેલા ખાતેથી કબ્જે કર્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!