વાંકાનેર શહેર ખાતે આજરોજ ભાજપ ટીમ દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભવાનભાઈ ભાગીયા (ચેરમેન શ્રી, એ.પી.એમ.સી. મોરબી) તેમજ શ્રીમતી રીટાબા રાઠોડ (સદસ્ય શ્રી, નગરપાલિકા વાંકાનેર), શ્રીમતી જયશ્રીબેન સુરેલા (સદસ્ય શ્રી, નગરપાલિકા-વાંકાનેર) તેમજ અતિથિ વિશેષ તરીકે વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા તથા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી હાજર ખાસ રહ્યા હતા…

આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગ્ટ્યથી કરી હાજર મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. ત્યાર બાદ મહાનુભાવોના હસ્તે કોરોના મહામારીમા માતાપિતાની છત્રછાયા ગુમાવનાર નિરાધાર સંતાનોને સહાય સર્ટિફિકેટ અને કીટ વિતરણ કરવામાં આવી હતી…

આ સાથે જ આ કાર્યક્રમ દરમ્યાન સરકારની અલગ અલગ 57 જેટલી યોજનાઓ જેવી કે આવકના દાખલા, જાતિના દાખલ, વૃધ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ વગેરેનો લાભ દરેક લાભાર્થીને સ્થળ પર જ મળે તેવી વ્યવસ્થા વિવિધ અધિકારી દ્વારા કરવામાં આવી હતી…

આ તકે વાંકાનેર શહેર ભાજપ ટીમના અમરસિંહભાઈ મઠવી, ગજેન્દ્રસિંહ રાઠોડ, ભરતભાઈ ઠાકરાણી, વજુભા ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, કે. ડી. ઝાલા, દિપકભાઇ પટેલ, હિરેનભાઈ ખીરૈયા, મૂળજીભાઈ ગેડિયા, મનુભાઇ સારેશા, ભગીરથસિંહ ઝાલા, પિન્ટુભાઈ નિમાવત, વિપુલભાઇ ભાનુશાળી, મેહુલ ઠાકરાણી, રઘુરાજસિંહ સરવૈયા, રાજભા વકીલ, અરુણભાઈ સહિતના કાર્યકર્તા હાજર રહ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!