વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતી વેળાએ ઊંચાઈએથી પડી જતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ રીફીર સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતી વેળાએ રમેશભાઇ ઉગાભાઈ બારીયા (ઉ.વ. 22, રહે. મૂળ લુણાવાડા જી. મહીસાગર, હાલ રાતાવિરડા) નામના યુવાનનું ઊંચાઈએથી પડી જતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું….

બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!