વાંકાનેર શહેરના પ્રતાપપરા વિસ્તારની શેરી નં.-૧ માં આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં કોઈ અજાણ્યા શખ્સોએ મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરીને બે કબાટમાંથી રોકડ રકમ અને ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 87,200 ની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે, જે બનાવમાં પોલીસે મહિલાની ફરિયાદ પરથી અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી દર્શીતાબેન મીહીરભાઇ સંઘવી(ઉ.વ. 31, લીમડા લાઇન, રજપુતપરા શેરી નં. ૨, સોની વાડીની સામે, વસંત વિહાર એપાર્ટમેન્ટ ફલેટ નં. એ.૨૦૧, જામનગર)એ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 05/09ના સવારે 9:45થી તા. 06/09 ના દસ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા શખ્સે તેની માતા લતાબેન ચંદુલાલ મહેતાના વાંકાનેર શહેરના પ્રતાપપરા શેરી નં.-૧ આવેલ બંધ મકાનના મેઇન દરવાજાનો નકુચો તોડી,

તેમજ રસોડાના દરવાજાનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રહેલા બે કબાટને કોસ જેવા હથીયારથી ખોલી કબાટમાં રહેલ રોકડ રકમ રૂ. 22,000, બીજા કબાટમા રહેલ રોકડ રૂ. 18,500 તેમજ ચાંદીની વસ્તુ ગ્લાસ, ડબરો, જુડો, કડા સહિત કુલ રૂ. 87,200ની ચોરી કરી છે…

બનાવની ફરિયાદ અનુસંધાને વાંકાનેર શહેર પોલીસ દ્વારા અજાણ્યા તસ્કર સામે આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!