વાંકાનેર તાલુકાના પંચાસર ગામની નદીમાં ડૂબી જવાથી એક માસુમ બાળકનું કરુણ મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામ ખાતે રહેતા કિશનભાઇ મુનાભાઇ ધામેચા (ઉ.વ. 06) નામના માસુમ બાળકનું ગઈકાલના રોજ કોઈ કારણોસર પંચાસર ગામ ખાતે આવેલ નદીમાં ડૂબી જવાથી કરુણ મોત થયું હતું.

બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસે બનાવની મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તહેવાર (ધુળેટી)ના દિવસે જ વ્હાલસોયા બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થતા મૃતકના પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!