વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ અવેરનેસ હેતુથી શાળાની વિદ્યાર્થીનીઓને શારિરીક શિક્ષણ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ‘ મુંજવણમાં માર્ગદર્શન ‘ કાર્યક્રમ યોજાયો હતો…

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ અને અર્બન હેલ્થ સેન્ટર-વાંકાનેર દ્વારા એડોલેશન હેલ્થ અંતર્ગત વાંકાનેર શહેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 8 થી 12ની વિદ્યાર્થીની બહેનો માટે મુંજવણમાં માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીનીઓને શારિરીક શિક્ષણ બાબતે વિશિષ્ટ માર્ગદર્શન ડોક્ટર હિરલબેન ચંદારાણા અને ફાર્માસિસ્ટ અકશાબેન ખોરજીયા દ્વારા આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાની 250 કરતા વધુ વિદ્યાર્થીની બહેનોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેનેટરી પેડ્સ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને મુંઝવતા પ્રશ્નોના વૈજ્ઞાનિક જવાબો ડો. હિરલબેન ચંદારાણા દ્વારા આપવામાં આવ્યા હતા. હેલ્થ અવેરનેસ બાબતે યોજાયેલ આ કાર્યક્રમના અંતે આભારદર્શન પ્રધાનઆચાર્ય દર્શનાબેન જાની દ્વારા કરવામાં આવ્યુ હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!