વાંકાનેર નગરપાલિકાને સુપર સિડ કરી લોહાણા સમાજના અગ્રણી જીતુભાઇ સોમણી સામે કાવાદાવા રચી રહેલા મોરબી જિલ્લાના કદાવર નેતાને રઘુવંશી સમાજે આડે હાથ લઈ જીતુભાઈ સોમણીને એકલા સમજવાની ભૂલ નહિ કરવા તાકીદ કરી હતી. રઘુવંશી સમાજને અન્યાય મુદ્દે મોરબીમાં રઘુવંશી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં આગામી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાનો રઘુવંશી સમાજ દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો…

મોરબીના રાજપર ખાતે રઘુવંશી ક્રાંતિમંચના નેજા હેઠળ જીતુભાઈ સોમાણીના સમર્થનમાં રઘુવંશી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. ખાસ કરીને સાંસદ મોહન કુંડારિયા અને વાંકાનેરના કદાવર નેતા જીતુ સોમણી વચ્ચે ચાલી રહેલી લડાઈના પરિણામ રૂપ આ સંમેલન યોજાયું હતું. જેમાં ખાસ કરીને રઘુવંશી સમાજના અગ્રણીઓએ સાંસદ મોહન કુંડારિયા તેમજ ભાજપ ઉપર આકાર પ્રહારો કરી રઘુવંશી સમાજને અન્યાય કર્યો હોય ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાનો પણ ખુલ્લો પડકાર કર્યો હતો….

આ મહાસંમેલનમાં વાંકાનેરના એકલવીર અગ્રણી જીતુભાઈ સોમાણીએ સાંસદ મોહન કુંડારિયા તેમજ મોરબીના મોટા માથા ઉપર ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે તેઓ રઘુવંશી સમાજને ખતમ કરવા માંગે છે. ઉપરાંત રામધામના નેજા હેઠળ સમગ્ર રઘુવંશી સમાજને એકત્રિત કરવાનો છે. પરંતુ આ કામ અમુક લોકોને નથી ગમતું જેના પરિણામો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભોગવવા હુંકાર કરવામાં આવ્યો હતો…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!