વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતાં યુવાનને કોઈ કારણસર વિજશોક લાગતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ અરમાન વિટ્રીફાઇડ કારખાનમાં કામ કરતા ઉદયભાન રામકેવલ યાદવ (ઉ.વ. 30)ને કારખાનામાં કામ કરતી વેળાએ વીજ શોક લાગતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC