વાંકાનેર તાલુકાના મહિકા ગામના સીમ વિસ્તારમાં વાડીમાં વિજ લાઇનનું કામ કરતી વેળાએ અચાનક પાવર રીટર્ન થતાં વીજશોક લાગવાથી યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે આવેલ વાડી વિસ્તારમાં પીજીવીસીએલનું કામ કરતા મહેન્દ્રસિંહ પ્રેમસિંહ રાવત (ઉ.વ. 24) નામના યુવાનને અચાનક વિજલાઈનમાં પાવર રિટર્ન થતાં વીજશોક લાગવાથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!