વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતી એક પરિણીતા ગુમ થઈ હોય જેથી આ બનાવમાં મહિલાના પતિએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે મેસરિયા ધાર પાસે રહેતા મોનાભાઈ સિંધાભાઈ મુંધવાએ વાંકાનેર તાલુકા પોલીસમાં તેમની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેની પત્ની કૌશાબેન મોનાભાઈ મુંધવા (ઉ.વ. ૪૫, રહે મહિકા) ગત તા. ૦૯-૧૦ ના રોજ મહિકા ગામ પાસેથી કોઈને કહ્યા વિના જતી રહી છે, જેનો આજ સુધી પતો નહિ લાગતા વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!